Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

શીનોરના સાધલી ગામે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ

 

શીનોરના સાધલી ગામે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ

 

**************************

 

રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના ભાવ સાથે ગ્રામજનોએ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાઈ રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો

 

(વડોદરા, તા.૧૧ ઓગસ્ટ ૨૦૨૬, મંગળવાર) શીનોર તાલુકાના સાધલી ગામે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં ગ્રામજનો, યુવાનો, મહિલાઓ તેમજ બાળકો સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રાષ્ટ્રધ્વજ સાથે યોજાયેલી આ યાત્રાથી સમગ્ર ગામમાં દેશભક્તિમય માહોલ સર્જાયો હતો.

 

તિરંગા યાત્રા દરમિયાન ગ્રામજનોએ હાથમાં તિરંગો ધારણ કરી ભારત માતાની જય અને દેશભક્તિના જયઘોષ સાથે રાષ્ટ્રીય એકતા તથા અખંડિતતાનો સંદેશ પ્રસરાવ્યો હતો. યાત્રા દરમિયાન દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને રાષ્ટ્રની એકતા, અખંડિતતા તથા સાર્વભૌમત્વ પ્રત્યેની પ્રતિબદ્ધતાને યાદ કરવામાં આવી હતી.

 

‘હર ઘર તિરંગા’ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દરેક નાગરિકમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો છે. સાધલી ગામે યોજાયેલી તિરંગા યાત્રા દ્વારા ગ્રામજનોમાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવાની સાથે નવી પેઢીને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી અને કર્તવ્યનિષ્ઠાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

 

આ તિરંગા યાત્રા સમગ્ર ગામ માટે ગૌરવ અને પ્રેરણાનો પ્રસંગ બની હતી. ગ્રામજનોની ઉત્સાહભેર સહભાગિતાથી ‘હર ઘર તિરંગા’ અભિયાનનો સંદેશ જન-જન સુધી પહોંચાડવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવ અને દેશ પ્રત્યેની એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવતી આ યાત્રા સૌમાં રાષ્ટ્રપ્રેમની નવી ઊર્જાનો સંચાર કરી ગઈ હતી.

 

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!