Welcome to Patvigujaratinews   Click to listen highlighted text! Welcome to Patvigujaratinews
Uncategorized

આણંદ જિલ્લો તિરંગાના રંગે રંગાયો: વિવિધ તાલુકાઓમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

 

આણંદ જિલ્લો તિરંગાના રંગે રંગાયો: વિવિધ તાલુકાઓમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

 

***

 

તારાપુર અને સારસા ખાતે દેશભક્તિના માહોલમાં નીકળી તિરંગા યાત્રા; ધારાસભ્ય અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા

 

***

 

એનસીસી કેડેટ્સ અને યુવાનોની સહભાગીદારીથી સમગ્ર આણંદ જિલ્લો બન્યો ‘તિરંગા મય’

 

***

 

આણંદ, બુધવાર:::: ૧૫મી ઓગસ્ટ, સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લામાં અત્યારથી જ રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ દેશભક્તિના જુવાળ સાથે ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી ગામેગામ રાષ્ટ્રપ્રેમની જ્યોત પ્રજ્વલિત થઈ છે. આજે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં યોજાયેલી આ યાત્રાઓમાં વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.

 

 

 

તારાપુર તાલુકા મથકે યોજાયેલી તિરંગા યાત્રાએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. ખંભાતના પ્રાંત અધિકારી શ્રી કુંજલ શાહ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રૂબીસિંહ રાજપુતની પ્રેરક આગેવાની હેઠળ આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોજીત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહીને યાત્રામાં જોડાયા હતા અને નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો. તારાપુર નગરના વિવિધ મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં આ યાત્રા ફરી હતી, જેમાં સ્થાનિક રહિશોએ રાષ્ટ્રધ્વજ સાથે જોડાઈને ભારત માતાના જયઘોષથી વાતાવરણ ગજવી મૂક્યું હતું.

 

 

 

આણંદ તાલુકાની તિરંગા યાત્રાનું આયોજન ઐતિહાસિક સારસા મુકામે કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં આણંદ ગ્રામ્યના મામલતદાર શ્રી વિજયરાજ સિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સારસાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ફરેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. હાથમાં ત્રિરંગા સાથે નીકળેલા લોકોના કારણે સારસાની ગલીઓ રાષ્ટ્રભક્તિના સમીકરણોમાં પરિવર્તિત થઈ ગઈ હતી. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા આ આયોજનને ગ્રામ્ય સ્તરે અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો.

 

 

 

સમગ્ર જિલ્લામાં યોજાઈ રહેલી આ તિરંગા યાત્રાઓમાં યુવા શક્તિનો વિશેષ પ્રભાવ જોવા મળ્યો હતો. વિવિધ શાળાઓ અને કોલેજોના એનસીસી (NCC) કેડેટ્સ, યુવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામીણ જનતા આ યાત્રામાં જોડાઈ હતી. આ યાત્રાઓ માત્ર એક કાર્યક્રમ બની ન રહેતા, લોકોમાં દેશપ્રેમ જગાડવાનું સબળ માધ્યમ બની છે.

 

 

પાટવી ગુજરાતી ન્યૂઝ C O રાજ યુસુફભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
Click to listen highlighted text!