ઊમરેઠ ખાતે ભારતીય જનતા પાર્ટી કાયૉલયનો શુભારંભ. આણંદ જીલ્લાના ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારના ચૂંટણી કાર્યાલયનું શુભારંભ આજે સંતો અને રાજકીય સામાજિક અગ્રણીઓ ના હસ્તે કરવામા આવ્યું હતું.
ઊમરેઠ ખાતે ભારતીય જનતા પાર્ટી કાયૉલયનો શુભારંભ. આણંદ જીલ્લાના ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારના ચૂંટણી કાર્યાલયનું શુભારંભ આજે સંતો અને રાજકીય સામાજિક અગ્રણીઓ ના હસ્તે કરવામા આવ્યું હતું.
આણંદ જીલ્લાના ઉમરેઠ બેઠકના ભાજપના ધારાસભ્ય ગોંવિદભાઈ પરમાર ના અવસાન બાદ 111 ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી.ભાજપ દ્રારા સહાનુભૂતિ અને સ્થાનિક જોડાણને ધ્યાનમાં રાખીને સ્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદ પરમાર પર વિશ્વાસ મૂકી તેમને ભાજપ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.ત્યારે 23 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે જેને લઈને આજે ઉમરેઠ ખાતે ચૂંટણી પ્રચાર માટે કાર્યાલય બનાવવામાં આવ્યું છે જેનું આજે મહેસુલ મંત્રી સંજયસિંહ મહિડા સંતરામ મંદિર ના મહંત ગણેશદાસ મહારાજ પૂર્વ ગૃહમંત્રી અને ઉમરેઠ ચૂંટણી ના પ્રભારી પ્રદીપસીહ જાડેજા, જિલ્લા અધ્યક્ષ સંજય પટેલ અને રાજકીય સામાજિક અગ્રણીઓ ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું હતું.રમેશચંદ્ર સી. રાણા પાટવી ગુજરાતી ન્યુઝ ઊમરેઠ