આંકલાવ વિધાનસભાના બામણગામ જિલ્લા પંચાયત વિસ્તારના મોટી સંખ્યાડના આગેવાન શ્રી નગીનભાઈ ચંદુભાઈ સોલંકીએ કોંગ્રેસને જાકારો આપી સાંસદશ્રી મિતેષભાઈ પટેલની આગેવાનીમાં તથા કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી ભાજપમાં વિધિવત રીતે જોડાયા.

આંકલાવ વિધાનસભાના બામણગામ જિલ્લા પંચાયત વિસ્તારના મોટી સંખ્યાડના આગેવાન શ્રી નગીનભાઈ ચંદુભાઈ સોલંકીએ કોંગ્રેસને જાકારો આપી સાંસદશ્રી મિતેષભાઈ પટેલની આગેવાનીમાં તથા કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી ભાજપમાં વિધિવત રીતે જોડાયા.
અમિત ચાવડાના નજીકના માનવામાં આવતા નગીનભાઈ સોલંકી છેલ્લા 25 વર્ષ સુધી ગામના સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમજ તેઓ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને 15 વર્ષ સુધી APMCના ડિરેક્ટર તરીકે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
આ પ્રસંગે શ્રી ગુલાબસિંહ પઢિયાર, આંકલાવ તાલુકા પ્રભારી શ્રી સુનિલભાઈ શાહ, તાલુકા મહામંત્રી શ્રી અલ્પેશભાઈ, શહેર પ્રમુખ શ્રી મિહિરભાઈ શાહ, મહામંત્રી શ્રી સંજયભાઈ, શ્રી શંભુભાઈ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.