Uncategorized
નવયુગ વિદ્યાલય જંબુસરમાં 10 ,12 ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું

નવયુગ વિદ્યાલય જંબુસરમાં 10 ,12 ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું
નવયુગ વિદ્યાલય જંબુસરમાં ધોરણ 10 ,12 ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આત્મવિશ્વાસથી ભરપૂર બનીને આપે તે માટે બોર્ડની પરીક્ષા અંતર્ગત દરેક વિષયના પ્રશ્નપત્રો નું આયોજન કરી પરીક્ષાનો કાર્યક્રમ બનાવી પરીક્ષાનો માહોલ ઉભો કરી પરીક્ષા લેવામાં આવી.
આ સમગ્ર પરીક્ષા દરમિયાન રોજબરોજ વિદ્યાર્થીઓ પરીક્ષાલક્ષી તૈયારી કરીને આવતા હતા અને પ્રશ્નપત્રો માંથી ઉત્તરવહીમાં સુંદર રીતે જવાબ લખતા હતા.
આ સફળ આયોજન સમગ્ર શાળા પરિવાર દ્વારા સફળ રીતે કરવામાં આવ્યું હતું
શાળાના પ્રમુખશ્રી મહેશભાઈ સોલંકી સાહેબે શાળા પરિવારના તમામ કર્મચારીઓની મહેનતને બિરદાવી ધોરણ 10 ,12 ના વિદ્યાર્થીઓનું બોર્ડની પરીક્ષામાં ખૂબ સારું પરિણામ આવે તે માટે શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ આપ્યા હતા.
