Uncategorized
નવયુગ વિદ્યાલય જંબુસરમાં ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

નવયુગ વિદ્યાલય જંબુસરમાં ધુળેટી પર્વની શાનદાર ઉજવણી
નવયુગ વિદ્યાલય જંબુસરમાં શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધુળેટી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા પરિવારે એકબીજા ઉપર રંગો છાંટી ધુળેટી પર્વની શુભેચ્છાઓ આપી હતી. શાળાના વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહપૂર્વક આ ધુળેટી પર્વ ની ઉજવણી માં જોડાયા હતા.
અંતે શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે શાળા પરિવારને ,વિદ્યાર્થીઓને, વાલીશ્રીઓ ને તથા જંબુસર શહેરના નગરજનોને શાળા પરિવાર અને શાળા મંડળ વતી ધુળેટી પર્વની શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે હોળી પર્વે આપડી આંતરિક બુરાઈઓનો નાશ કરી આપડા સૌની અંદર આનંદ – ઉલ્લાસ અને એકતાના રંગો ભરી જીવનને તેજસ્વીમય બનાવીએ